Posts

Showing posts from May, 2021

જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Image
જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી   જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી પ્રોહી ગે.કા.પ્રવૃતિ ઉપર અસરકારક કામગીરી કરી પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા આપેલ પ્રોહી ડ્રાઇવ અનુસંધાને.  Advertisement    પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાનાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ની ટીમ જંબુસર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી જે દરમ્યાન મળેલ બાતમી આધારે જંબુસર તાલુકાનાં અણખીગામની સીમમાં આરોપી વિક્રમભાઇ ઠાકોર રહે અણખીગામ વાળો ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ TATA407 ટેમ્પોનંબર MH - 43 - AD - 0503 માં કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૬,૦૪,૮૦૦/- નો મંગાવી પોતાના ખેતરમાં પોતાના મળતીયા અન્ય આરોપીઓને બોલાવી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનું કાટીંગ કરતો હતો તે દરમ્યાન રેઇડ કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે જંબુસર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.    આ મ...

ભરૂચ તાલુકાનાં ઝનોરથી વાગરા તાલુકાનાં લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી પ્રતિબંધ

Image
ભરૂચ તાલુકાનાં ઝનોરથી વાગરા તાલુકાનાં લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી પ્રતિબંધ   ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી પ્રતિબંધ    ભરૂચ:  તા.૦૧/૦૬ /૨૦૨૧ થી તા.૩૧ /૦૭ /૨૦૨૧ સુધી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં યાંત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ મુકવા આદેશ કરેલ છે. બંદર અને મત્સ્યોદ્યોગ વિભાગ, ગાંધીનગરના નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી સિવાય જાહેર ક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એન્જીન, સ્ટેઈક નેટસ , બેરિયર્સ વિગેરે અથવા એવી કોઈ રચના ઉભી કરી શકાશે નહી તે મતલબની પણ જોગવાઈ છે. આમ, ઉક્ત જોગવાઈથી બોટ તેમજ યાંત્રિક બોટ દ્વારા થતી માછીમારી ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. તેમજ ક્લોઝ (૮) (એફ) થી (૧) ટોર ટોર (૨) હિલ્સા તથા (3) રોઝનબર્ગ માછલી અને ઝીંગાની પ્રજાતિઓને અલગ જૈવિક લાક્ષણિકતાઓને કારણે સંરક્ષિત રાખવામાં આવેલ છે. ચોમાસાન...

લાછરસ ગામની ૬૫ વરસના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘર માં તાળું મારી બહાર કાઢી મુકતાં નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી.

Image
લાછરસ ગામની ૬૫ વરસના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘર માં તાળું મારી બહાર કાઢી મુકતાં નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી નિર્ભયા સ્કવોર્ડની ટીમ  લાછરસ પહોંચી તાળુ તોડી વૃદ્ધ મહિલાને ઘરનો કબજો અપાવી ગૃહ પ્રવેશ કરાવ્યો સમજાવી પુનઃ ગૃહ પ્રવેશ કરાવ્યો . રાજપીપલા: લોકડાઉન બાદ નર્મદામાં નિર્ભયા સ્કવોર્ડની કામગીરી પુનઃ સક્રિય થઈ છે.જેમાં લાછરસ ગામની ૬૫ વરસના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘરમાંથી તાળું મારી બહાર કાઢી મુકતા નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી છે. Advertisement  નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક  હિમકરસિંહ  તથા નાયબ પોલીસ અધિક્ષક  ચેતના ચૌધરીની સુચના પ્રમાણે જિલ્લામાં કામ કરી રહેલ નિર્ભયા ટીમ નાં ઇન્ચાર્જ પી.એસ. આઈ કે .કે. પાઠક નાં નેતૃત્વમાં લાછરસ ગામ માંથી ૬૫ વર્ષનાં વૃદ્ધ વિધવા મહિલા શકુંતલાબેન ઠાકોરભાઈ પટેલે રાજપીપળા નિર્ભયા ટીમને એક અરજી આપેલ કે મારો નાનો દીકરો ભરતભાઈ પટેલ મારા ઘરમાંથી મને બહાર કાઢી ઘરમાં તાળું મારી દીધું છે. જેથી મારા ઘર મને પાછાં બોલાવો. આ અંગે નિર્ભયા સ્કવોર્ડ દ્વારા તપાસ કરતા અરજી સાચી જણાતાં ત્યાં જઈને તેમને સમજાવતાં તાળું ખોલી તેમના ઘરમાં પુનઃ પ્રવેશ કરવાથી...

કડોદરા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ

Image
કડોદરા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ    કડોદરા ગામની સીમ માંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા, તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં દારુ-જુગાર પ્રવૃત્તિ સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ઈન્ચાર્જ વિભાગીય પોલીસ અધીકારી શ્રી એમ.પી.ભોજાણી ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એ.સી.ગોહીલ તથા દહેજ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દહેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીમમાં હતા દરમ્યાન અ.પો.કો. રણજીતભાઈ રામજીભાઈ બ.નં.૦૧૦૬૧ તથા અ.પો.કો. તુષારભાઈ મોઘજીભાઈ બ.નં.૦૧૩૩૩ અ.હેડ.કો. પંકેશભાઈ તુલસરામ બ.નં ૧૨૯૭ તથા અ.પો.કો. પિન્ટુભાઈ ગટુરભાઈ બ.નં. ૦૧૧૮૩ નાઓને સયુંકત રીતે મળેલ બાતમી આધારે કડોદરા ગામે ખડકી ફળીયામાં રહેતા પંકજભાઈ ભરતભાઈ ગોહીલ ઉ.વ .૩૩ રહે.કડોદરા ખડકી ફળીયુ તા.વાગરા જી.ભરૂચ નાઓના કબ્જામાંથી કડોદરા ચોકડીથી અગર વાળા રોડ ઉપર કેનાલના કુંડા પાસેથી ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂની અ...

ભરૂચ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

Image
ભરૂચ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું   ભરૂચ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું  ભરૂચ: ભરૂચ જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે હેતુસર ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સમ્રગ ભરૂચ જિલ્લામાં તા.૩૧/૦૫/૨૦૨૧ ના ૦૮:૦૦ કલાક થી તા.૩૦/૦૬ /૨૦૨૧ ના રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.  Advertisement   તદનુસાર હથિયાર, તલવાર, ધોકા, સોટી/લાકડી, બંદૂક, છરા, સળગતી મશાલ કે અન્ય બીજા હથિયાર કે જેનાથી શારીરિક ઇજા પહોંચાડી શકાય તે સાથે રાખી ફરવાનું, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તે વસ્તુઓ ફેંકવાના, ઉકેલવાના યંત્રો સાથે લઇ જવા તથા તૈયાર કરવા, મનુષ્યોની આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાનું, અપમાનીત કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભત્સ સુત્રો...

વાલીયા પોલીસ સ્ટેશન નાં ખુનના ગુનાનાં આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ

Image
વાલીયા પોલીસ સ્ટેશન નાં ખુનના ગુનાનાં આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ     વાલીયા પોલીસ સ્ટેશન નાં ખુનના ગુનાનાં આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ    ભરૂચ: વડોદરા રેંજ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શ્રી નાઓ તથા અંક્લેશ્વર વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ સાહેબ નાઓ દ્વારા ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અસરકારક અને પરિણામલક્ષી કામગીરીઓ કરવા સુચના અને માર્ગદર્શન હેઠળ વાલીયા પોલીસ સ્ટેશનના FIR No.- 11199050210754/2021 IPC કલમ- ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૧૨૦ ( બી ), ૩૪ તથા GPAct કલમ-૧૩૫ મુજબનાં ગુનાનાં કામનાં આરોપીઓને પકડવાના હોય જેથી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીત નાને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી માહીતી મળેલ કે આ કામનાં આરોપીઓ કોંઢ ગામથી બાંડાબેડા ગામ તરફ આવી રહેલ છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફનાં માણસો સાથે બાંડાબેડા ગામેથી કોંઢ ગામ તરફ જતાં રોડ ઉપર છુપી રીતે વોચમાં રહી બાતમી મુજબનાં વર્ણન વાળા ઈસમો આવતાં તેઓને કોર્ડન કરી વારાફરતી નામઠામ પુછતા તેઓએ તે...

વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ માત્ર ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણત્રી કરીએ તો ૬૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસુલવામાં આવી રહી છે: મનિષ દોશી

Image
વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ માત્ર ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણત્રી કરીએ તો ૬૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસુલવામાં આવી રહી છે : મનિષ દોશી ફાઇલ ફોટો અમદાવાદઃ મંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે જીવન બચાવવા માટે જરૂરી ઈન્જેક્સન, ઓક્સિજન, વેન્ટીલેટર સહિત પર વસૂલાતા ઉંચા જી.એસ.ટી. દરથી દેશના અને રાજ્યના નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સીજન કંસન્ટ્રેટર્સ સહિતની માનવજીંદગી માટેની જરૂરીયાત પરના જી.એસ.ટી.માં માફી - રાહતની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ માત્ર ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણત્રી કરીએ તો ૬૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસુલવામાં આવી રહી છે. જી.એસ.ટી. ના ઉંચા દરથી વસુલાતા ૬૦૦૦ કરોડની બચતથી ૧૨ લાખ ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ખરીદી શકાય, ૧ લાખ ૨૦ હજાર નવા વેન્ટીલેટર હોસ્પીટલમાં સ્થાપિત કરી શકાય. આ ૬૦૦૦ કરોડ રૂપિયામાંથી ૨૦ કરોડ નાગરિકોને વેક્સિન આપી શકાય.  Adverti...

ભરૂચ જિલ્લામાં સભા-સરઘસબંધી

Image
ભરૂચ જિલ્લામાં સભા-સરઘસબંધી ભરૂચ જિલ્લામાં સભા-સરઘસબંધી ભરૂચ: ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે એક જાહેરનામા દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૩૧/૦૫/૨૦૨૧ નાં ૦૮:૦૦ કલાક થી તા.૩૦/૦૬ /૨૦૨૧ નાં રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યાએ ભેગા થવા કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા તથા કલેક્ટર કચેરી-ભરૂચની પ્રિમાઈસીસમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ધરણા, ભૂખ હડતાળ પર બેસવા, રેલી કાઢી રેલીનાં સ્વરૂપે આવી આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.  આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓ, સ્મશાન યાત્રા - અંતિમયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી ખાસ કિસ્સા તરીકેની પરવાનગીને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યકિતને ફોજદારી અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. B B K NEWS OWNER & EDITOR  મનિષ કંસારા #manishkansara #...

અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે વધુ ૨૦ KL ની ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરાઈ

Image
અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે વધુ ૨૦ KL ની ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરાઈ   🔶અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે વધુ ૨૦ KL ની ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરાઈ  🔶 જિલ્લા કલેક્ટર ડૉ . એમ.ડી.મોડિયાએ🎀 રીબીન ✂️કાપીને ઓક્સિજન જનરેશન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો    ભરૂચઃ અંકલેશ્વર ખાતે આવેલી ઈએસઆઈસી જે કોવિડ દર્દીઓ માટેની હોસ્પિટલ છે એમાં ઓક્સિજનના જનરેશન પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે.   ઓક્સિજન જનરેશન પ્લાન્ટ    જેમાં ઝઘડિયાની ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા રૂપિયા ૪૮ લાખનું યોગદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વર એ.આઈ.એના પ્રમુખશ્રી રમેશભાઈ ગાબાણી અને તેમની ટીમના અથાગ પ્રયત્નો થકી અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે ૨૦ KL ની વધુ ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરાઈ છે. જેનો શુભારંભ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ રીબીન કાપીને તથા સ્વીચ પાડીને કરાવ્યો હતો.   જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ રીબીન કાપી તથા સ્વીચ પાડી તે વેળાની તસવીર   આ વેળાએ એ.આઈ.એ.ના પ્રમુખશ્રી રમેશભાઈ ગાબાણી, ડીસીએમ શ્રીરામના કંપનીના શ્રી કમલભાઈ નાયક, પ્રાંત અધિકારીશ્રી રમેશભા...

મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર "નકલી ડોકટર" ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

Image
મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર "નકલી ડોકટર" ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.   ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ હાલમાં ભરૂચ વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા "નકલી ડોકટર" પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ  Advertisements     સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.ડી. મંડોરા નાઓએ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.આર.શકોરીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જે.ટાપરીયા નાઓને માર્ગદર્શન અને સુચના આપી ટીમો તૈયાર કરી કામગીરી સોપતા ટીમ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં કામગીરીમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. દર્શકભાઇ ઘનશ્યામભાઇ નાઓને મળેલ બાતમી આધારે દિપુકુમાર નંદલાલ બાલા ઉ.વ .૩૮ રહે, યોગેશ્વર નગર, અંકલેશ્વર. તા.અંકલેશ્વર જી.ભરૂચ વાળો ભાડેથી દુકાન રાખી કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇજેકશન સાથે કુલ કિ.રૂ. ૨૪૯૧૫/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસર અટક કરી આરોપી વિરૂધ્ધ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. ...

નેત્રંગ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો પ્રોહી બુટલેગરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Image
નેત્રંગ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો પ્રોહી બુટલેગરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી ભરૂચ: પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ હાલમાં ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારી અનુસંધાને જીલ્લામાં ગે.કા. રીતે ચાલતી દારૂ/જુગાર ની પ્રવૃત્તિ અટકાવવા દારૂ/જુગાર ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બુટલેગરો ઉપર વોચ રાખી ગુના બનતા અટકાવવા તેમજ દારૂ/જુગાર ના ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ આપેલ સુચના અધારે ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજેબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન ગઈ તા-૨૩/૦૧/૨૦૨૧ ના રોજ નેત્રંગ ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂ નો ૪,૭૭,૦૦૦/-રૂપિયાનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ જે ગુનામાં છેલ્લા ચાર માસથી આરોપી રણજીતભાઇ અમરતભાઇ વસાવા રહે-ઈટકલા, તા-વાલીયા, જી - ભરૂચ નો નાસતો-ફરતો હોય જે પોલીસની નજર ચુકવી નાસતો-ફરતો હતો અને આજરોજ ભરૂચ એલ.સી.બી ની ટીમ ને મળેલ ચોક્સ બાતમી હકીકત આધારે નાસતો-ફરતો આરોપી રણજીતભાઇ અમરતભાઇ વસાવા રહે-ઈટક...

વીજપુરવઠો બંધ રહેવા બાબત, જાણો કયા શહેર-વિસ્તારમાં વીજપુરવઠો રહેશે બંધ.

Image
વીજપુરવઠો બંધ રહેવા બાબત, જાણો કયા શહેર-વિસ્તારમાં વીજપુરવઠો રહેશે બંધ. ડી.જી.વી.સી.એલ. (ઓ & એમ) વેસ્ટ સીટી સબ ડિવિઝન, પાંચબત્તી, ભરૂચ. વિષય : - વીજપુરવઠો બંધ રહેવા બાબત. આથી જય ભારત સહ જણાવવાનું કે ૨૭/૦૫/૨૦૨૧ ને ગુરુવાર ના રોજ સવારના ૮:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમ્યાન નીચે દર્શાવેલ વિસ્તારોમાં સમારકામના કામ અર્થે વિજપુરવઠો બંધ રહેશે. અનુ. નંબર:- ૧ સબ સ્ટેશનનું નામ:- ૬૬ કે.વી.પાંચબત્તી,  ભરૂચ સ/સ્ટેશન ફીડર નું નામ:-   નવચોકી ફીડર મહત્વનાં વિસ્તારો:-  હાથીખાના બજાર, ધોળીકુઈ, નરસિંહપુરા, બરાનપુરા, બહારની ઊંડાઈ, પુષ્પા બાગ, નવચોકી, હેથાણા, જુની કોર્ટ, લાલબજાર, દાંડીયા બજાર, જમીયતરામ ની ખડકી, સ્ટેશન વિસ્તાર તથા આજુબાજુનો વિસ્તાર વગેરે.   કામ પૂર્ણ થયે અગાઉથી જાણ કર્યા વગર વિજપુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. જે વિસ્તારોમાં ચેન્જ ઓવર દ્વારા પાવર ચાલુ કરી શકાય તેમ હશે તે વિસ્તારોમાં વિજ પુરવઠો ચાલુ રાખવામાં આવશે.                               નાયબ ઈજનેર (વેસ્ટ)             ...

ભરૂચ જીલ્લાની દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં લોકસભા સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર ઇસમને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Image
ભરૂચ જીલ્લાની દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં લોકસભા સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર ઇસમને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી   ભરૂચ જીલ્લાની દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં લોકસભા સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર ઇસમને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી ભરૂચ: છેલ્લા પાંચ-છ માસથી ભરૂચ જીલ્લાના દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચ-નર્મદાના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા ના નામનો ખોટો ઉપયોગ કરી કોઇ અજાણ્યો ઇસમ ફોન કરી મંદીર બનાવવા માટે તથા ધાર્મિક કામ કરાવવા માટે રૂપિયાની માંગણી કરતો હોવાની રજુઆત મળેલ તથા આ બાબતે દહેજ પો.સ્ટે. દહેજ પો.સ્ટે. ગુ.ર.નં પાર્ટ એ ૧૧૧૯૯૦૧૬૨૧૦૪૦૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૧૭, ૪૧૯, ૧૭૦, ૫૧૧ મુજબનો ગુનો તા.૩૦/૦૪/૨૦૨૧ ના રોજ રજીસ્ટર થયેલ હોય જેથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ,વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ આ ગુનામાં પરીણામલક્ષ...

વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં રાશનકીટ સહાય કરતી રાજકોટ શહેર પોલીસ

Image
વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં રાશનકીટ સહાય કરતી રાજકોટ શહેર પોલીસ રાજકોટ: અરબી સમુદ્રમાં ઉઠેલ વાવાઝોડુ તૌકતે જે સમુદ્ર થી ગુજરાત તરફ ફંટાયેલ જે સમયે કોઇ જાનમાલને નુશાન ન થાય તે માટે સરકારશ્રી દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ અને લોકોને સાવચેત રહેવા તેમજ દરીયા કીનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલ આ તૌકતે વાવાઝોડા જેવી કુદરતી આફત સામે ગુજરાતની જનતાએ દ્રઢ મનોબળ સાથે સામનો કરેલ અને વાવાઝોડાના કારણેે ઘણાં વિસ્તારમાં લોકોના રહેણાંક મકાનો તથા ખેતી વાડીમાં નુકશાની પહોંચી જેના કારણે ઘણા લોકો ઘરવીહોણા થયેલ. કોઇ પણ કુદરતી આફત સમયે ભારતના નાગરીકો દ્રઢ મનોબળ સાથે તેનો સામનો કરતા રહેલ છે અને આવા સમયે લોકો એકબીજાનો સહારો થતા હોય છે અને માનવતાના ઉમદા ઉદાહરણ સમગ્ર વિશ્વને પુરૂ પાડતા રહેલ છે.     આવા સમયે લોકો એક થઇ અસરગ્રસ્ત વિસ્તારનાં લોકોની સહાય કરવા આગળ આવેલ છે જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ, નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રવીણકુમાર મીણા ઝોન -૧, નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન -૨, મદદનીશ પોલીસ કમિશ્નર...