Posts

Showing posts from February, 2021

૬૦ વર્ષ થી વધુ ઉંમરનાં તેમજ ૪૫ થી ૫૦ વર્ષ સુધીનાં કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ ૧૯ નું રસીકરણ કરવા બાબત ...

Image
  ૬૦ વર્ષ થી વધુ ઉંમરનાં તેમજ ૪૫ થી ૫૦ વર્ષ સુધીનાં કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ ૧૯ નું રસીકરણ કરવા બાબત... (અખબારી યાદી)   ક્રમાંક : જી .૫ / જાઆ ટેક / રસીકરણ / ૨૦૨૧ , આરોગ્ય શાખા , જિલ્લા પંચાયત , ભરૂચ , તા .૨૮.૨.૨૦૨૧ પ્રતિ , માહિતી અધિકારી શ્રી , માહિતી ખાતાની કચેરી , ભરૂચ... વિષય : ૬૦ વર્ષ થી વધુ ઉંમરના તેમજ ૪૫ થી ૫૦ વર્ષ સુધીના કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ ૧૯ નું રસીકરણ કરવા બાબત... ભરૂચ: જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ભરૂચ જિલ્લામાં તા .૧.૩.૨૦૨૧ ના રોજથી વર્ષ થી વધુ ઉંમરના તેમજ ૪૫ થી ૫૯ વર્ષ સુધીના કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ -૧૯ રોગ અટકાયતીના ભાગરૂપે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર જિલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્ર , તમામ સા.આ.કેન્દ્ર , એસ.ડી.એચ. જંબુસર , સિવિલ હોસ્પિટલ- ભરૂચ તથા ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ- અંકલેશ્વર , ખાતે રસીકરણ મફત આપવામાં આવનાર છે.     PM JAY યોજના હેઠળ આવરી લીધેલ નીચે મુજબની હોસ્પિટલો ને રૂ . ૨૫૦ / નો ચાર્જ વસૂલ કરી રસીકરણ કરવામાં આવનાર છે. ૧.અલ મેહમુદ હોસ્પિટલ, જંબુસર ૨.જં...

ચોરી કરેલ એકટીવા મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ

Image
ચોરી કરેલ એકટીવા મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ    ચોરી કરેલ એકટીવા મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ   રાજકોટ: પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન - ર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી જે.એસ.ગેડમ દક્ષિણ વિભાગનાં ઓએ વાહન ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટર કે . એન. ભુકણ નાંઓનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડનાં પો.સબ ઇન્સ્પેક્ટર વી.કે.ઝાલા તથા સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ગઢવીની સંયુકત બાતમી આધારે રાજકોટ કૃષ્ણનગર મેઇન રોડ ગુરૂપ્રસાદ ચોકથી આગળ એક ઈસમને ચોરીનાં મોટર સાયકલ સાથે પકડી મોટર સાયકલનાં રજી . નંબર તથા એન્જીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશન માં સર્ચ કરાવતાં અન્ય વ્યકિતનાં નામે રજીસ્ટર થયેલ હોવાનું જણાય આવેલ જેથી મજકુરની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતાં પોતે આ મોટર સાયકલ ગઇકાલે સાંજે રેસકોર્ષ બાલભવન નાં ગેઇટ પાસેથી ચોરી કરેલ ...

પ્રેમથી ભરેલું જીવન મળે આપને , ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને , કયારેય મુસીબતનો સામનો ન કરવો પડે, એવો આવનાર સમય મળે આપને.ભરૂચનાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી ને જન્મદિવસની શુભેચ્છા

Image
પ્રેમથી ભરેલું જીવન મળે આપને , ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને , કયારેય મુસીબતનો સામનો ન કરવો પડે, એવો આવનાર સમય મળે આપને.ભરૂચનાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી ને જન્મદિવસની શુભેચ્છા ભરૂચ નાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી નો જન્મદિવસ તારીખ ૨૪-૦૨-૨૦૨૧ ના રોજ હોય પરંતુ તેઓ શ્રી તારીખ  ૨૩-૦૨-૨૦૨૧ નાં રોજ ગૌ પૂજન કરવાં પરિવાર સાથે ભરૂચ પાંજરાપોળ ખાતે સવારે ૦૯ : ૩૦ વાગે ગયાં હતાં અને ગૌ પૂંજા સેવા અને દર્શન કર્યા હતાં.   સાથે તેમના પિતા અને સિનિયર પત્રકાર શ્રી અનિલભાઈ અગ્નિહોત્રી અને જય ભાઈ નાં માતૃશ્રી અને પુત્ર એ ગૌ પૂજા કરી ગૌ માતાનાં આશીર્વાદ લીધાં હતાં. ગૌ માતાને કોબીજ ખવડાવી અને દાન પણ લખાવ્યું અને લીલું ઘાસચારો ખવડાવી સેવા કરી. ગૌ પૂંજા જાણીતાં ગૌ પુરોહિત શ્રી કૌશિકભાઈ જોશી દ્વારા કરાવવામાં આવી હતી. Many Happy Returns of the Day... #HappyBirthday ! 🎂🎈💐🎉🎊🎊🎁 God Bless Us Always 🙌!   પ્રેમથી ભરેલું જીવન મળે આપને , ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને , કયારેય મુસીબતનો સામનો ન કરવો પડે, એવો આવનાર સમય મળે આપને.   ભરૂચનાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી ને જન્મદિવસની...

ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં રાજપીપળામાં આગમન ટાણે જાણીતાં વરિષ્ઠ પત્રકાર, લેખક દીપક જગતાપ ભાજપામાં જોડાયા.

Image
ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં રાજપીપળામાં આગમન ટાણે જાણીતાં વરિષ્ઠ પત્રકાર, લેખક દીપક જગતાપ ભાજપામાં જોડાયાં.     ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં રાજપીપળામાં આગમન ટાણે જાણીતાં વરિષ્ઠ પત્રકાર, લેખક દીપક જગતાપ ભાજપામાં જોડાયાં.  ભરૂચનાં સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેસ પહેરાવ્યો. રાજપીપળા: ભારતીય જનતાપાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલનાં રાજપીપળામાં આગમન ટાણે જાણીતાં પત્રકાર લેખક શિક્ષણ અને અનેક સમાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ દીપક જગતાપ ભાજપામાં જોડાયાં હતાં. એપીએમસી ખાતે સીઆર પાટીલની જાહેરસભામાં  મંચ પરથી ભરૂચનાં સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેસ પહેરાવી ભાજપામાં પ્રવેશ કરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુરનાં સાંસદ ગીતાબેન રાઠવા. પ્રદેશ ઉપપ્રમુખ ભારત સિંહજી પરમાર, માજી વન મંત્રી શબ્દશરણ તડવી, મોતિસિઁહ વસાવા, માજી ધારાસભ્ય હર્ષદ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિતનાં વરિષ્ઠ આગેવાનોએ પણ દીપક જગતાપનાં ભાજપા પ્રવેશ ને આવકારી તાળીઓથી વધાવી અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે સૌનો આભાર પ્રગટ કર્યો હતો. ...

દેડીયાપાડા પોલીસ સ્ટેશનનાં લોકરક્ષક પોલીસકર્મી સુલોચનાબેન વસાવાએ તેમનાં લગ્નની ગ્રહશાંતિ નાં પ્રસંગ વચ્ચે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને મતદાનથી અળગા રહેતાં મતદારોને અચૂક મતદાન માટે આપ્યો પ્રેરક સંદેશ

Image
દેડીયાપાડા પોલીસ સ્ટેશનનાં લોકરક્ષક પોલીસકર્મી સુલોચનાબેન વસાવાએ તેમનાં લગ્નની ગ્રહશાંતિ નાં પ્રસંગ વચ્ચે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને મતદાનથી  અળગા રહેતાં મતદારોને અચૂક મતદાન માટે આપ્યો પ્રેરક સંદેશ   રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી ફરજ ઉપરનાં અધિકારીઓ  કર્મચારીઓ માટે રાજપીપળામાં આયુર્વેદિક કોલેજનાં ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયેલાં મતદાનમાં ૧૯૯ કર્મીઓનું ૭૧ ટકા મતદાન નોંધાયું  દેડીયાપાડા પોલીસ સ્ટેશનનાં લોકરક્ષક પોલીસકર્મી સુલોચનાબેન વસાવાએ તેમનાં લગ્નની ગ્રહશાંતિ નાં પ્રસંગ વચ્ચે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને મતદાનથી  અળગા રહેતાં મતદારોને અચૂક મતદાન માટે  આપ્યો પ્રેરક સંદેશ   રાજપીપળા: નર્મદા જિલ્લામાં તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવાર રોજ યોજાનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીનાં દિવસે ફરજ ઉપર તૈનાત થનાર અધિકારીઓ કર્મચારીઓ પણ રાજ્ય ચૂંટણી આયોગની સુચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ નાં માર્ગદર્શન હેઠળ આજે...

છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે..., કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો

Image
છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે..., કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો   છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે... કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો. પાછલા બારણે પીઠ પર ખંજર ભોંકનારાઓ જો લડવું હોય તો યુદ્ધના મેદાનમાં આવી જાવ: મનસુખ વસાવા  મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ચેતવણી આપી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતાં આવડે છે.  પણ પૈસા બનાવવોએ મારો ધર્મ નથી. પ્રજાની સેવા એ મારો ધર્મ છે. રાજપીપળાને મારે મિની કાશ્મીર બનાવવું છે, રાજપીપળા ને ટેકાવાળી સરકાર નથી જોઇતી.  નગરપાલિકામાં ભાજપા ને સંપૂર્ણ બહુમતી આપો.  હું કોઈ પણ હિસાબે રાજપીપળા થી કેવડિયા અને કેવડિયાથી મુંબઈ સુધીની ટ્રેન ચાલુ કરવીને જ રહીશ. આ મનસુખ વસાવાનું વચન છે    રાજપીપળા: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળામાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની  જાહેર સભામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા થોડાક વધારે આક્રમક દેખાયા હતાં. એમણે જાહેર મંચ પરથી પોતાનાં વિર...