Posts

Showing posts from August, 2021

ભરૂચ જિલ્લાનાં રોજગાર વાંચ્છુંઓ નોંધે

Image
ભરૂચ જિલ્લાનાં રોજગાર વાંચ્છુંઓ નોંધે અનુબંધમ પોર્ટલ એપ રોજગાર માટે ઘરે બેઠાં નોંધણી કરાવવા ઉપયોગી ભરૂચઃ શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છું અને નોકરીદાતાઓને ઉપયોગી પોર્ટલ તા.૦૬-૦૮-૨૦૨૧ નાં રોજ “રોજગાર દિવસ” નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા નવું વેબ પોર્ટલ “અનુબંધમ” ઉમેદવારો/નોકરીદાતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.    જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેક્ટરવાઈઝ નોકરી શોધી શકશે તથા રોજગારવાંચ્છું ઉમેદવારો ઘરે બેઠાં આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વેબ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માંગ્યા મુજબની માહિતી તેમજ આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો(જેપીજી) ફાઈલ અપલોડ કરવાની રહેશે. અને આ સંબધિત અનુબંધમ વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માર્ગદર્શન વેબીનાર તા.:-૧૭/૮/૨૦૨૧ના  રોજ સમય ૧૨:૦૦ કલાકે  આયોજન કરવામાં આવેલ છે. જે Google Meet ના માધ્યમથી તેના zcw-nmzt-jxi કોડ થી જોઇન્ટ કરી શકાશે જેથી ભરૂચ જિલ્લાનાં વધુમાં વધુ ઉમેદવારો http://anubandham.gujarat.gov.in   વેબસાઈટ/વેબપોર્ટલ પર રોજગારવાંચ્છું ઉમેદવાર/જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરવાં રોજગાર અધિકા...

જામનગરના સાંસદ પૂનમ માડમ તરફથી અપાયેલ કેરિબેગનું જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું

Image
જામનગરના સાંસદ પૂનમ માડમ તરફથી અપાયેલ કેરિબેગનું  જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું જામ ખંભાળીયા: નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના (NFSA PHH)  અંતર્ગત ઘઉં અને ચોખાનું મફતમાં વિતરણ થઈ રહ્યું છે. ત્યારે જામનગર દેવભૂમિ નાં સાંસદ  શ્રીમતી પુનમ માડમ દ્વારા થેલી ( કેરીબેગ)  આપવામાં આવી છે.    જેનું વિતરણ આજરોજ જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું જેમાં વૉર્ડ 1/2 માં સસ્તા અનાજની દુકાન પર સાંસદ શ્રી ની કેરીબેગ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર નગરપાલિકા સદસ્ય ઇમ્તિયાઝ ખાન લોદિન કારુભાઈ માવદીયા  ધીરુભાઈ ટાકોદરા ભવ્યભાઈ  ગોકાણી જયેશભાાઈ કણજારીયા નિકુંજભાઈ વ્યાસ લખુભાઈ ચાવડા વગેરે કાર્યકરો દ્વારા ઉપસ્થિત રહી કેરિબેગનું વિતરણ કરવામાં આવ્યું હતુંં. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

સોમનાથ ખાતે નિર્માણાધીન અતિથિગૃહની મુલાકાત લેતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ

Image
સોમનાથ ખાતે નિર્માણાધીન  અતિથિગૃહની મુલાકાત લેતાં  નાયબ  મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ 🔸રૂા. ૨૧ કરોડનાં ખર્ચે બનનાર અતિથી ગૃહમાં ૪૮ રૂમોની સુવિધા ✍️ નરેન્દ્રભાઈ દવે         ગીર-સોમનાથ: સોમનાથ ખાતે નવા બનતા અતિથીગૃહનું નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.   સોમનાથ મંદીર નજીક સમુદ્રતટ પાસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવું અતિથિગૃહ આકાર પામી રહ્યું છે. આજે નાયબ મુખ્યમંત્રીશ્રી  નિતિનભાઈ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. માર્ગ મકાન વિભાગનાં સચિવશ્રી એસ.બી. વસાવા પાસેથી વિગતો મેળવી હતી. આ અતિથિગૃહમાં કુલ ૪૮ રૂમ આકાર પામશે. જેમાં વી.વી.આઇ.પી. સુપર રૂમ-૨, વી.વી.આઇ.પી. રૂમ-૮, વી.આઇ.પી.રૂમ -૮, ડીલક્ષરૂમ-૨૪, ફોર સીટર રૂમ-૪, ડોરમેટ્રી રૂમ-૨ દરેક રૂમ માંથી સમુદ્ર દર્શન થશે.         ઉપરાંત સી.સી.રોડ, વોટર હાર્વેસસ્ટીંગ, કમ્પાઉન્ડ વોલ, ટ્રીપ્લાન્ટેશન અને ગાર્ડનીંગ, ફાયર ફાઇટરની સુવિધા, પાર્કીંગ, ડાઇનીંગ હોલ કામગીરીનો સમાવેશ થયેલ છે. આર.સી.સી. ફેમ વર્ક જી-૩ ફ્લોર સાથે કુલ ૭૦૭૭.૦૦ ચોરસ મીટર બિલ્ટઅપ એરીયા, બેલા મશ...