Posts

Showing posts from May, 2020

શોધખોળ / આલીયાબેટ દરિયા કિનારે ન્હાવા માટે ગયેલાં હાંસોટના 5 પૈકી 4 યુવાન લાપતા

Image
શોધખોળ /   આલીયાબેટ દરિયા કિનારે ન્હાવા માટે ગયેલાં હાંસોટના 5 પૈકી 4 યુવાન લાપતા પ્રતિકાત્મક તસ્વીર    ભરૂચ: અંકલેશ્વરના હાંસોટ  ગામના 5 યુવાનો રવિવારની રજામાં આલીયાબેટ દરિયા કિનારે ન્હાવા ગયાં હતાં. દરિયામાં તોફાન આવતાં 4 યુવાનો પાણીમાં લાપતા બન્યાં હતાં. જોકે તે પૈકીનો એક યુવાન બહાર નીકળવામાં સફળ રહેતાં તેણે તુરંત ગ્રામજનોને જાણ કરતા તંત્ર દોડતું થયું થઇ ગયું હતું. તંત્રે તુરંત લાશ્કરો તેમજ સ્થાનિક ખલાસીઓની મદદથી દરિયામાં લાપતા બનેલા 4 યુવાનો શોધખોળ આરંભી હતી. Advertisements   નાવડી અને સ્થાનિકની મદદથી શોધખોળ આરંભી  હાંસોટમાં રહેતા મુસ્લિમ સમાજના 5 યુવાનો રવિવારે અભેટાથી એનજીસી વેલ તરફ જતા માર્ગે દરિયા કિનારે પિકનિક પોઇન્ટ જેવો માહોલ હોઇ અન્ય દશેક યુવાનો પણ ત્યાં દરિયા કિનારે આવ્યાં હતાં. કિનારે બેઠા બાદ તેઓ દરિયાના પાણીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ પાણીનું જોર પણ વધતાં ન્હવા પડેલા મિત્રો દરિયાના પાણીમાં અચાનક ડૂબવા લાગ્યા હતા અને જ્યાં જીસાન.જાવેદ મલેક, સિહાબ સકીલ મલેક, મુસ્તુફા જાવીદ મલેક તેમજ કાદીર કરમહુશેન શેખ આમ 4 યુવાનો દરિયાના ...

ષડયંત્ર / પાકિસ્તાનના બે અધિકારી જાસૂસી કરતા રંગે હાથે ઝડપાયા, બંનેને તેમના વતન પરત મોકલાશે

Image
ષડયંત્ર /  પાકિસ્તાનના બે અધિકારી જાસૂસી કરતા રંગે હાથે ઝડપાયા, બંનેને તેમના વતન પરત મોકલાશે જાસૂસી કરતા પકડાયેલા આબિદ હુસેન (ડાબે) અને તાહિર ખાનને પાકિસ્તાન રવાના કરવામા આવશે નવી દિલ્હી: પાકિસ્તાની  દૂતાવાસના બે અધિકારીઓને રવિવારે જાસૂસી કરતા રંગે હાથે પકડવામા આવ્યા છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના માધ્યમથી આ જાણકારી આપી છે. બન્ને અધિકારી દૂતાવાસમાં વીઝા આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. ભારત તેમની વિરુદ્ધ ડિપ્લોમેટિક પ્રોટોકોલ અંતર્ગત પર્સોના નોન ગ્રાટા એક્શન લેશે. Advertisements     સામાન્ય રીતે તેનો અર્થ એ થાય છે કે એવી વ્યક્તિ જે રાજકીય મિશન પર છે અને સંબંધિત દેશ (જ્યાં તે તૈનાત છે)માં તેની ગતિવિધિઓ ખોટી હોવાનું સામે આવ્યું છે. ભારત હવે બન્નેને પાકિસ્તાન પરત મોકલશે. સપા સાંસદના પીએની ધરપકડ થઇ હતી   ઓક્ટોબર 2016મા સપાના પૂર્વ સાંસદ મુનવ્વર સલીમના પીએ મોહમ્મદ ફરહતની ધરપકડ કરવામા આવી હતી. તેના પર પાકિસ્તાન ઉચ્ચાયોગના ઇશારા પર જાસૂસીનો આરોપ હતો. આ મામલે ઘણા અન્ય લોકોની પણ ધરપકડ કરવામા આવી હતી. ઉચ્ચાયોગનો એક અધિકારી મહેમૂદ અખ્તર આ લોકોને જાસૂસીના બદલા...

ચોમાસુ આવ્યું કે નહિ / હવે મોસમ વિભાગે કહ્યું- કેરળમાં ચોમાસાનું આગમન થયું નથી; એક જૂનથી શરૂ થશે ચોમાસુ

Image
ચોમાસુ આવ્યું કે નહિ /  હવે મોસમ વિભાગે કહ્યું- કેરળમાં ચોમાસાનું આગમન થયું નથી; એક જૂનથી શરૂ થશે ચોમાસુ નવી દિલ્હી:   હવામાન વિભાગે રવિવારે ફરી એક વખત દાવો કર્યો છે કે ચોમાસુ હજી સુધી કેરળમાં પહોંચ્યું નથી. મોસમ વિભાગના ડાયરેક્ટર એમ મોહપાત્રાએ કહ્યું કે અમે સતત તેની પર નજર રાખી રહ્યાં છીએ. અમે અમારા અગાઉના અનુમાનની સાથે છીએ કે મોનસૂન એક જૂન બાદ આવવા માટે સ્થિતિ અનુકુળ છે. આ પહેલા ખાનગી મોસમ એજન્સી સ્કાઈમેટે શનિવારે દાવો કર્યો હતો કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કેરળમાં એન્ટ્રી લીધી છે. કેરળના દક્ષિણ તટીય વિસ્તારો અને લક્ષદ્રીપમાં ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. Advertisements     મોહપાત્રાએ કહ્યું કે દક્ષિણ પૂર્વ અરબ સાગર અને લક્ષદ્રીપમાં આજે ઓછું દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. અમને આશા છે એક દિવસ પછી તે સાઈકલોનમાં બદલાઈ જશે. તે ઉત્તર તરફ વધશે અને ગુજરાતની નજીક પહોંચશે. અને 3 જૂને મહારાષ્ટ્ર તટ પર પહોંચશે.  મોસમ વિભાગે શનિવારે કહ્યું હતું કે આ ચોમાસા પહેલાનો વરસાદ છે અને એક કે બે જૂને ચોમાસાનું કેરળમાં આગમન થશે. શનિવારથી તે માલદિવ અને કોમોરિન ક્ષેત્રમા...

કોરોના ઈફેકટ / ટ્રમ્પે જૂનમાં થનારી G-7 સમિટને સપ્ટેમ્બર સુધી મુલત્વી રાખી, તેમના વિમાનમાં જ મીડિયાને આ માહિતી આપી

Image
કોરોના ઈફેકટ /   ટ્રમ્પે જૂનમાં થનારી G-7 સમિટને સપ્ટેમ્બર સુધી મુલત્વી રાખી, તેમના વિમાનમાં જ મીડિયાને આ માહિતી આપી વોશિંગ્ટન:   અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં થનારી G-7 સમિટને મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે શનિવારે તેમના અધિકારિક પ્લેન એરફોર્સ વન પર આ સમિટ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપતા આ માહિતી આપી હતી. ટ્રમ્પે કહ્યું મેં આ સમિટને ટાળવાનો નિર્ણય કર્યો છે. મને નથી લાગતું કે G-7 વિશ્વની હાલની સ્થિતિનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે. તે દેશોનું ખૂબ જ જૂનો સમુહ છે. Advertisements     ટ્રમ્પે એ પણ કહ્યું કે G-7ની જગ્યાએ મોટી સમિટ બોલાવવામાં આવશે. તેમાં ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પણ આમંત્રિત કરવાની ઈચ્છા છે. તે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પહેલા કે તેના પછી થાય તેવી શકયતા છે. વીડિયો કોન્ફોરન્સિંગથી થવાની હતી સમિટ G-7માં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, જર્મની, જાપાન અને ઈટલી સામેલ છે. તમામ સભ્ય દેશો એક પછી એક વાર્ષિક બેઠકનું આયોજન કરે છે. આ વખતે અમેરિકાના કેમ્પ ડેવિડમાં G-7 સમિટ થવાની હત...

રાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31મી એનિવર્સરીએ સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી

Image
રાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31મી એનિવર્સરીએ સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી રાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31મી એનિવર્સરીએ સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી   રક્તદાતા દંપતીનું રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા સન્માન પત્ર આપી શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરાયું.  રક્તની જરૂરિયાતમંદો  માટે પત્રકાર દંપતી અને અન્ય રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા. Advertisements   રાજપીપળા : ૩૦મી મેના રોજ રાજપીપળાના જાણીતા પત્રકાર અને લેખક દીપક જગતાપ અને જ્યોતિ જગતાપ  દંપતીએ પોતાની 31 મી એનિવર્સરી સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રક્તદાન કરવાની અપીલ ને સ્વીકારી દરેક લગ્નતિથિએ સજોડે રક્તદાન કરવા નો સંપર્ક સંકલ્પ કરી 30 મી મે ના રોજ રક્તદાન કરવાનું શરૂ કર્યું છે. આજે દીપકભાઈ જ્યોતિબેનની 31 મી એનિવર્સરી એ જાતે બ્લડ બેંક પર પહોંચીને રક્તદાન કર્યું હતું.આ વર્ષે બંને બીજીવાર સાથે રક્તદાન કર્યું હતું  આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમ...