Posts

Showing posts from December, 2020

દોઢ વર્ષના બાળકને કચડીને કાર ચાલક થયો ફરાર

Image
 દોઢ વર્ષના બાળકને કચડીને કાર ચાલક થયો ફરાર   દોઢ વર્ષના બાળકને કચડીને કાર ચાલક થયો ફરાર રાજકોટઃ શહેરના ભક્તિનગર સર્કલ પાસે લક્ઝુરિયસ ઔડી કારે અકસ્માત સર્જ્યો છે. દોઢ વર્ષના બાળકને કારે કચડીને મોત નીપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળક રમતા રમતા કાર નજીક ઉભો હતો. અચાનક કાર શરૂ કરી ચલાવતા બાળક કચડાયો હતો. તેમજ બાળકનું મોત થયું હતું. અકસ્માત પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, ભક્તિનગર પોલીસે કાર ચાલક યશ બગડાઈ(ઉં.વ.19)ની અટકાયત કરી લીધી છે.  કર્યો છે. B B K NEWS Owner/Editor મનીષ કંસારા #manishkansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

क्या आप जानते है...?!...किसी भी पेट्रोल पम्प पर ये सुविधाएँ निशुल्क हर हाल में मिलनी ही चाहिए...

Image
क्या आप जानते है...?!...किसी भी पेट्रोल पम्प पर ये सुविधाएँ निशुल्क हर हाल में मिलनी ही चाहिए... क्या आप जानते है...?... किसी भी पेट्रोल पम्प पर ये सुविधाएँ निशुल्क हर हाल में मिलनी ही चाहिए... चाहे वह पेट्रोल पम्प किसी भी कंपनी का क्यों न हो...!! 1.वाहन में नि:शुल्क हवा भरने की व्यवस्था। 2.पीने का पानी। 3.शौचालय। 4.किसी भी चोट या घाव के मामले में प्राथमिक चिकित्सा बॉक्स। 5.शिकायत रजिस्टर करने के लिए शिकायत बॉक्स। 6.अग्निशमन यंत्र और रेत बाल्टी जैसे सुरक्षा उपकरण। 7.तेल की कीमतें और काम के घंटे का डिस्प्ले। 8.ग्राहकों की सुविधा के लिए, तेल कंपनी के कर्मियों के फोन नंबर के साथ स्टेशन मैनेजर के लाइसेंस, नाम और फोन नंबर का किसी दीवार आदि पर लिखा जाना जहां आसानी से ग्राहकों को दिखाई दे। सूचना को अधिक लोगों तक शेयर करें। B B K NEWS Owner/Editor મનીષ કંસારા #manishkansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ભરૂચનાં સાંંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતા ચકચાર, મનસુખ વસાવાને મનાવી લેવાના થયેલા પ્રયાસો, પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી સાથે પણ આ મુદ્દે કરી વાત

Image
ભરૂચનાં સાંંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતા ચકચાર, મનસુખ વસાવાને મનાવી લેવાના થયેલા પ્રયાસો, પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી સાથે પણ આ મુદ્દે કરી વાત   ભરૂચનાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુું આપતા ચકચાર ભાજપે મને ઘણુ આપ્યું છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું:-સાંસદ મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજીનામું આપીશ. ઈકો સેન્સીટીવ ઝોન આ મુદ્દે તેમની નારાજગી  મનસુખ વસાવાને મનાવી લેવાના થયેલા પ્રયાસો  પ્રદેશ પ્રમુખે મુખ્ય મંત્રી સાથે પણ આ મુદ્દે કરી વાત રાજપીપળા: ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપામાં ખળભળાટ મચી ગયો છે.   મોટા ગજાનાં અને 6 ટર્મથી સતત ભરુચ ની બેઠક પરથી સાંસદ તરીકે જીતતા આવેલા એવા સિનિયર નેતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અચાનક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખી રાજીનામું આજે આપ્યુ હતુ. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભાજપ વર્તુળમાં સન્નાટો મચી ગયો હતો.   જોકે આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જત...

ભરૂચ: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીજીના જન્મદિનને સુશાસનદિન તરીકેની ઉજવણી

Image
ભરૂચ: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીજીના જન્મદિનને સુશાસનદિન તરીકેની ઉજવણી ભરૂચ: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીજીના જન્મદિનને સુશાસનદિન તરીકે ઉજવણી અંતર્ગત આજરોજ કિસાન કલ્યાણ કાર્યક્રમ પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજવામાં આવ્યો.  જેમાં વિડીયો કોંફરન્સના માધ્યમથી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા કિસાનલક્ષી વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ,જીલ્લા મહામંત્રી શ્રી નિરલભાઇ પટેલ,શહેર પ્રમુખ શ્રી ધનજીભાઈ ગોહિલ,પાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, મુખ્ય અધિકારી સંજયભાઈ સોની,અન્ય હોદેદારો, પાલિકા પૂર્વ કાઉન્સિલરો તેમજ કિસાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. B B K NEWS OWNER / EDITOR મનીષ કંસારા #manishkansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

સુરતના બાળકના ફેફસાં યુક્રેનમાં શ્ર્વાસ ભરશે અને હૃદય💓 રશિયામાં ધબકશે, ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના.

Image
સુરતના બાળકના ફેફસાં યુક્રેનમાં શ્ર્વાસ ભરશે અને હૃદય💓 રશિયામાં ધબકશે, ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના.   ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના પરિવારને પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપવા માટે નતમસ્તક વંદન કરે છે. સુરત: ગુજરાતમાં સૌપ્રથમ વખત એક પત્રકાર દ્વારા પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના.   ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના.   શ્રીમાળી બ્રાહ્મણ (રાજસ્થાન) સમાજના બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.   સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ત્રીસમા હ્રદય અને ફેફસાંના દાનની પાંચમી ઘટના. સુરતના બાળકના ફેફસાં યુક્રેનમાં શ્ર્વાસ ભરશે અન...

ગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી વર્ષ ૨૦૦૨માં ખેડૂતોની વાર્ષિક આવક ૯૦૦૦ કરોડ હતી અને ૧૮ વર્ષમાં ૧૬ ગણી વધી તેવા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

Image
ગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી વર્ષ ૨૦૦૨માં ખેડૂતોની વાર્ષિક આવક  ૯૦૦૦ કરોડ હતી અને ૧૮ વર્ષમાં ૧૬ ગણી વધી તેવા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી   ગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી વર્ષ ૨૦૦૨માં ખેડૂતોની વાર્ષિક આવક  ૯૦૦૦ કરોડ હતી અને ૧૮ વર્ષમાં ૧૬ ગણી વધી તેવા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના એગ્રીકલ્ચર સ્ટેટેસ્ટીક મુજબ ગુજરાતના ખેડૂતોની માસિક આવક ૩૫૦૦/- રૂપિયા છે અને ગુજરાતના પ્રતિ ખેડૂત દીઠ રૂા. ૨૮,૬૬૭/- દેવું છે. જે છેલ્લા ૬ વર્ષમાં દેવામાં સતત ઉમેરો થઈ રહ્યો છે. મહામારીની આડમાં ખેડૂતોની આપત્તિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ‘અવસર’માં પલટી નાખવાની મોદી સરકારની આ ધૃણાસ્પદ સાજિશને અન્નદાતા ખેડૂતો અને ખેતમજદુરો ક્યારેય ભૂલશે નહીં. એ.પી.એમ.સી. માર્કેટની વ્યવસ્થાઓ ખતમ થશે. નાના મોટા વેપાર અને સાથેસાથે એ.પી.એમ.સી. ના માધ્યમથી રોજગાર મેળવતા અનેક મજુરોને પણ ખુબ મોટુ નુકસાન થશે. કોન્ટ્રાક્ટ ફાર્મીંગના કારણે જે ખેડૂત પોતાના જમીનનો માલીક છે એ ખેડૂત માલીક બનીને પોતાની જમીનમાં મજુર બન...

રાજપીપળા નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત 15મી ડિસેમ્બરે પૂર્ણ થતા 14મીએ પાલિકા શાસકોનો છેલ્લો દિવસ રહેશે

Image
રાજપીપળા નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત 15મી ડિસેમ્બરે પૂર્ણ થતા 14મીએ પાલિકા શાસકોનો છેલ્લો દિવસ રહેશે   રાજપીપળા નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત 15મી ડિસેમ્બરે પૂર્ણ થતા 14મીએ પાલિકા શાસકોનો છેલ્લો દિવસ રહેશે 15મીથી રાજપીપળા નગરપાલિકામાં વહીવટદાર શાસન આવશે નવા વહીવટદાર તરીકે નગરપાલિકાના નવા ચીફ ઓફિસર વહીવટદારનો ચાર્જ સંભાળશે.  વહીવટદાર કોઈ નીતિ વિષયક નિર્ણય લઇ શકશે નહીં. છેલ્લા દિવસે 14.12.20 ના રોજ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખે છેલ્લી કારોબારી બોલાવી.   રાજપીપળા: રાજપીપળા નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત 15 મી ડિસેમ્બરે પૂર્ણ થતાં 14મીએ પાલિકા શાસકો નો છેલ્લો દિવસ ગણાય છે.અને 15મી થી રાજપીપળા નગરપાલિકામાં વહીવટદાર શાસન આવશે નગરપાલિકામાં પ્રમુખ જીગીશાબેન ના જણાવ્યા અનુસાર નવા વહીવટદાર તરીકે નગરપાલિકાના નવા ચીફ ઓફિસર વહીવટદાર નો ચાર્જ સંભાળશે. હાલમાં જ નવા ચીફ ઓફિસર તરીકે પરાક્રમસિંહ મકવાણાની નિમણૂક થઈ છે. નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા ફેબ્રુઆરી માર્ચમાં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. ત્યારે હવે નગરપાલિકાના રાજકારણમાં ફરી એકવાર ભરશિયાળે ચૂંટણીનું રાજકારણ શરૂ થયું છે. બીજી ...

B B K NEWS ગુજરાતી દૈનિક પંચાંગ

Image
B B K NEWS ગુજરાતી દૈનિક પંચાંગ 🚩 શ્રી યજ્ઞ નારાયણો વિજયતેતરામ્🚩  📜 B B K NEWS ગુજરાતી દૈનિક પંચાંગ 📜 ☀ 11 - Dec - 2020 ☀ શુક્રવાર ☀ પંચાંગ     🔅 તિથી  એકાદશી (અગિયારસ)  10:06:29 🔅 નક્ષત્ર :                ચિત્રા  08:48:54                સ્વાતિ  30:30:49 🔅 કરણ :            બાલવ  10:06:29            કૌલવ  20:36:51 🔅 પક્ષ  કૃષ્ણ   🔅 યોગ  શોભન  15:50:03 🔅 દિવસ  શુક્રવાર   ☀ સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ     🔅 સૂર્યોદય  07:03:58   🔅 ચંદ્રોદય  28:08:59   🔅 ચંદ્ર રાશિ  તુલા   🔅 સૂર્યાસ્ત  17:25:09   🔅 ચંદ્રાસ્ત  14:50:00   🔅 ઋતું  હેમંત   ☀ હિન્દૂ માસ અને વર્ષ     🔅 શકે સંવત  1942  શાર્વરી 🔅 કલિ સંવત  5122   🔅 દિ...

રાજ્યની યુનિવર્સિટીમાં તથા સંલગ્ન કોલેજોમાં ચાલતા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક સત્ર ફી માફી જાહેર કરવા બાબત, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો

Image
રાજ્યની યુનિવર્સિટીમાં તથા સંલગ્ન કોલેજોમાં ચાલતા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક સત્ર ફી માફી જાહેર કરવા બાબત, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો   તાકીદની બાબત તા. ૦૭-૧૨-૨૦૨૦ પ્રતિ, માન. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. વિષય :  રાજ્યની યુનિવર્સિટીમાં તથા સંલગ્ન કોલેજોમાં ચાલતા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક સત્ર ફી માફી જાહેર કરવા બાબત. માનનીય, નમસ્તે, વર્તમાન સમયમાં દેશ-દુનિયા કોવિડ-૧૯ મહામારી સામે લડી રહી છે. આ સંજોગોમાં શૈક્ષણિકક્ષેત્રે શાળા-કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ છે. માર્ચ મહિનાથી મે મહિના સુધી શિક્ષણકાર્ય સદંતર બંધ રહ્યું અને જૂન થી અત્યાર સુધી માત્ર ઓનલાઈન શિક્ષણ થઈ શક્યું છે. જેમાં પણ ૨૫ થી ૩૫ ટકા જ વિદ્યાર્થીઓ મર્યાદિત સમયમાં જોડાઈ રહ્યાં છે. આ સંજોગોમાં રાજ્યની અનુદાનિત અને સ્વ-નિર્ભર કોલેજોમાં વિદ્યાર્થીઓ પાસેથી આખી ફી ઉઘરાવવી એ કાયદેસરની લૂંટ અને સ્પષ્ટરૂપનો અન્યાય છે. વિજળી ખર્ચ, વહીવટી ખર્ચ, અન્ય ખર્ચાઓ સદંતર બંધ છે. શિક્ષણક્ષેત્રે પ્રથમ સત્ર પુરૂ થ...

વડોદરા: કોરોના વોરિયર્સથી લઈ સામાન્ય જનતાને વેક્સિન આપવા માટેની તૈયારીઓ પૂર્ણ

Image
વડોદરા: કોરોના વોરિયર્સથી લઈ સામાન્ય જનતાને વેક્સિન આપવા માટેની તૈયારીઓ પૂર્ણ રાજ્યભરમાં કોરોનાની રસીકરણને લઇ તૈયારીઓ ચાલી રહી છે, જેને લઇ વડોદરામાં વેક્સિન આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રસી કેવી રીતે સ્ટોરેજ કરવી તેને લઇ તૈયારીઓ કરી દેવામાં આવી છે, તો વડોદરાના વેકસીન ઇન્સ્ટિયુટ ખાતેથી શહેર ઉપરાંત 7 જિલ્લામાં રસી પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ, પંચમહાલ અને મહીસાગરનો સમાવેશ થાય છે. એટલું જ નહિં રસીકરણને લઇ 435 સેન્ટરો પર અગાઉથીજ ILR અને ડીપ ફ્રીઝ હાલ કાર્યરત છે. આ ઉપરાંત તંત્રએ ઘરે-ઘરે સર્વે કરવાની પણ કામગીરી કેવી રીતે કરવી તેનો પ્લાન બનાવ્યો છે. ઘરે-ઘરે સર્વે કરવા માટે ટીમો બનાવાઇ છે. આ ટીમ ઘરે-ઘરે જશે અને 50 વર્ષથી વધુની ઉમરના વ્યક્તિઓની યાદી તૈયાર કરશે. B B K NEWS OWNER / EDITOR મનીષ કંસારા #manishkansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.

Image
5.24  કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર 5.24  કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ.  એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર. રાજપીપળા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવેશ ફિ તેમજ પાર્કિંગ સહિતની 16 મહિના ની રકમ બેંકમાં જમા નહીં કરી રૂ.5.24 કરોડની ઉચાપતમાં વડોદરા રાઇટર બિઝનેસ સર્વિસિંગ  પ્રાઇવેટ લિમિટેડના વધુ એક કર્મચારી નિમેષ જગદીશચંદ્ર પંડ્યાની નર્મદા પોલીસે ધરપકડ કરી રાજપીપળા કોર્ટ પાસે રિમાન્ડ માંગતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર પાસેથી જે પ્રવેશ ફીની રકમ વસૂલ વસૂલાતની જવાબદારી ઇસેક એજન્સીને સોંપી હતી અને તેના નાણા  ભેગા કરી એચડીએફસી બેંકમાં ભરપાઈ કરવાની જવાબદારી રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડને સોંપી હતી.આ કામગીરી દરમિયાન રાઇટર કંપનીના કેટલાક કર્મચારીઓએ એચડીએફસી બેંકમાં એમઓયુના ખાતામાં નાણાં જમા કરાવ્યા નહીં અને બારોબાર ઉચાપત કરી કૌભાંડ ઓડિટરની ધ્યાન પર આવ્યું હતું.કેવડીયા પોલીસમાં એચડીએફસી બેંક મેનેજરે ફરિયાદ દાખલ ...

રાજપીપળાના નગર સેવાસદનના પ્રમુખ જીગીસાબેન. સી.ભટ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને વિદ્યાર્થીઓની ફી ઘટાડવા બાબતે પત્ર લખ્યો.

Image
રાજપીપળાના નગર સેવાસદનના પ્રમુખ જીગીસાબેન. સી. ભટ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને વિદ્યાર્થીઓની ફી ઘટાડવા બાબતે પત્ર લખ્યો   રાજપીપળાના નગર સેવાસદનના પ્રમુખ જીગીસાબેન. સી.ભટ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને વિદ્યાર્થીઓની ફી ઘટાડવા બાબતે પત્ર લખ્યો. રાજપીપળા: રાજપીપળા નગર સેવાસદનના પ્રમુખ જીગીસાબેન સી.ભટ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને વિદ્યાર્થીઓની ફી ઘટાડવા બાબતે પત્ર લખ્યું છે. જેમાં જણાવ્યું છે કે વિશ્વમાં ચાલી રહેલી કોરોના જેવી મહામારીને કારણે આપણો દેશ પણ અલિપ્ત રહ્યો નથી, અને તેને માત કરવા માટે આપણા વડાપ્રધાન ખૂબ જ પ્રયત્નશીલ છે. છેલ્લા દસ માસથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓના વાલીના ધંધા રોજગાર પર ખૂબ જ આર્થિક માઠી અસર પહોંચી છે. ત્યારે આપણે વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખતા, વિદ્યાર્થીઓની ફીમાં ઘટાડો કરી, તેઓને રાહત આપવા રજૂઆત કરી છે.   રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા. B B K NEWS OWNER / EDITOR મનીષ કંસારા #manishkansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

સાગબારા તાલુકાના અમિયારા ગામ પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત, એક ગંભીર

Image
સાગબારા તાલુકાના અમિયારા ગામ પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત, એક ગંભીર 🔷અમિયારા પાસે બે ટ્રક અકસ્માત થતાં એક ટ્રક ચાલકનું મોત,એક ગંભીર.  🔷અન્ય એક કેબીનમાં ફસાતા લોકોને બહાર કાઢ્યો.  🔷ઈજાગ્રસ્તને સાગબારા થી રાજપીપળા સિવિલમાં ખસેડાયો. 🔷ઘટના સ્થળે બંને બાજુ બે કિમી સુધી વાહનોની કતારો જામતાં ચક્કાજામ. 🔷જેસીબીથી એક ટ્રકને હટાવી રસ્તો ખુલ્લો મુકાયો.   રાજપીપળા: સાગબારા તાલુકાના અમિયારા ગામ પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું અને જ્યારે અન્ય એક ડ્રાઇવર કેબીન માં ફસાઈ જતા ભારે જહેમત બાદ લોકોએ તેને બહાર કાઢી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં ક્લીનર કુદી પડતાં તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત માં બંને ટ્રકનાં કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ અંગે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ પ્રમોદ ઉર્ફે ગોલુ ભાઈદાસ મરાઠે (રહે, 8/21 દરવાજા, મહારાષ્ટ્ર વ્યાયામશાળા,નંદુરબાર મહારાષ્ટ્ર ) આરોપી મુજ્જફરશાહીન શરીફશાહીન ચૌધરી ( રહે,સાદા શરીફ જાબા તા. થ...