રાહતના સમાચાર / રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડો, જ્યારે મોતનો આંકડો ચિંતાજનક

રાહતના સમાચાર / રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડો, જ્યારે મોતનો આંકડો ચિંતાજનક

 🔸આજે કોરોના વાયરસના 14,120 કેસ નોંધાયા, 174 લોકના મોત થયા


રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના રેકોર્ડબ્રેક કેસ અને મોત નોંધાયા બાદ હવે રાજ્યમાં કોરોનાનું સંકટ ઓછુ થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી દરરોજ નોંધાતા કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે દરરોજ સામે આવતા કેસની સંખ્યા વધારે જ છે, પરંતુ તેમાં ઘટાડાની શરુઆત થઇ તે મોટી વાત છે.

 આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,120 કેસ નોંધાયા છે. કેસનો આંકડો ભલે ઘટ્યો હોય પરંતુ મોતનો આંકડામાં વધારો થયો છે જે ચિંતાજનક વાત છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. જેની સાથે કોરોના વાયરસના કારણ મૃત્યુ પામનાર લોકોનો આંકડો 6830 થયો છે.

 આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. અત્યારે રાજ્યમાં રિકવરી રેટ 74.01 ટાકા છે. મોતની વાત કરીએ તો અમદાવાદમાં 26, જામનગરમાં 25, સુરતમાં 19, રાજકોટમાં 15 જ્યારે વડોદરામાં 16 મોત લોકોના મોત થયા છે. તો 421 દર્દીઓની હાલમાં વેન્ટીલેટર પર સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.

 રાજ્યમાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. તેની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,17,57,862 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. સારી વાત એ છે કે ગઇકાલ કરતા આજે સામે આવેલા કેસમાં ઘટાડો થયો છે. આ ઘટાડો મોટો નથી, આમ છતા અત્યારની સ્થિતિ પ્રમાણે આશાવું કિરણ છે. ગઇકાલે રાજ્યમાં કોરોનાના 14352 કેસો આવ્યા હતા.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.