ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી એ કરેલાં તેમનાં ટ્વીટ અંગે તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી એ કરેલાં તેમનાં ટ્વીટ અંગે તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ફાઇલ ફોટો

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ટ્વીટ કરીને GCA ના પદાધિકારી અને શ્રી જય શાહનો આભાર માને તે અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ટ્વીટ થી મુખ્યમંત્રીશ્રી તેમની બંધારણીય જવાબદારી નીભાવવામાં કમજોર સાબિત થયા છે તે દુઃખની બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એટલા નબળા / કમજોર થઈ ગયા કે જય શાહને ધન્યવાદ આપવા પડે છે કે દર્શકોને સ્ટેડીયમમાં જવા પર રોક લગાવવા માટે ? આપ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી છો, આપનું કર્તવ્ય છે સ્થિતિનું આકલન કરી એમને આદેશ આપવાનો એમનો આદેશ લેવાનો નહિ. ભાજપ સરકારે લોકતંત્રની સ્થિતિ કેવી બનાવી દીધી છે ? રાજ્યના મુખ્યમંત્રીશ્રીની ફરજ શું છે ? રાજ્યના મુખ્યમંત્રીશ્રીની જવાબદારી શું છે ? તમે રાજ્યના વડા છો, તમારે તો હુકમ આપવાનો હોય કે મારા રાજ્યની પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી સ્ટેડીયમમાં લોકોને ભેગા નહિ કરવા દઉ.

Advertisements

 કોરોનાની આવી સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી જ રહી હતી. આ અગાઉ પણ કોરોના નાં રોજીંદા કેસ નોંધાતા હતા કે લોકો ભયનાં માહોલમાં હતાં. જોકે તે સમયે ચૂંટણી હતી, સ્ટેડીયમમાં કાર્યક્રમો હતાં, કદાચ તે કારણે સરકારી તંત્ર આ દિશામાં વિચારવાનું ચુકી ગઈ તો નહીં હોય ને ? છતાં સરકારને હવે કોરોના દેખાયો છે, જેને કારણે કડક પગલાઓ લેવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સરકારે કોરોનાનું ઠીકરું જાહેર જનતા પર ફોડ્યું છે. રાજ્યમાં ફરી કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનતી જઈ રહી છે તેવું હવે સરકારનું કહેવું છે. સુરત એ કોરોનાનું હોટસ્પોટ મહાનગર બન્યું છે. તેમજ કોરોના નાં કેસમાં અમદાવાદ બીજા ક્રમે છે. ત્યારે, કોરોના જેવી મહામારીમાં મુખ્યમંત્રીશ્રી બંધારણીય જવાબદારી નિભાવે અને તે અંગે પગલા ભરે, નહિ કે આભાર પ્રદર્શિત કરતાં ટ્વીટ કરે.

B B K NEWS

Owner & Editor

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.