રાજપીપળામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ સ્પર્ધામાં કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારતી કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી.

રાજપીપળામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ સ્પર્ધામાં  કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારતી કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી

🔷રાજપીપળામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ સ્પર્ધામાં  કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારતી કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી.

🔷બોરિંદ્રા પ્રાથમિક શાળાનું કોરોનામાં આયુર્વેદિક ઉકાળાનો પ્રોજેક્ટ પ્રથમ નંબરે આવ્યો જે હવે રાષ્ટ્રીય કક્ષાએ રજૂ થશે.



 રાજપીપળા: મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા તાજેતરમાં લેવાયેલ ઓન લાઇન સ્પર્ધામાં બોડીદ્રા ની ધોરણ - 8 ની બાળાઓએ અલગ અલગ બે સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. શાળાનાં મુખ્ય શિક્ષક અનિલ મકવાણાનાં માર્ગદર્શન હેઠળ જયાબેન વસાવા ધોરણ-8 એ પોતાની શૈલીથી કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં સામાન્ય થતી શરદી, ખાંસી અને તાવમાં રાહત મળે તેવા હેતુથી રોગપ્રતિકારક શક્તિ માટે આયુર્વેદિક ઉકાળાનાં મહત્વનો અભ્યાસ સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેની સાથે નર્મદા જિલ્લાનાં કુલ 6 પ્રોજેક્ટ રજૂ થયાં હતાં, જેમાં કોરોના માં સૌથી ગુણકારી એવા આયુર્વેદિક ઉકાળો કેવી રીતે બને એના ફાયદા ને લઈને નિર્ણાયકો દ્વારા આ કૃતિને રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામી છે.

 આ વર્ષે કોરોના નાં કારણને લઈને ઓનલાઇન સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ઓનલાઇન પ્રોજેક્ટ મંગાવવામાં આવ્યાં હતાં. જેમાં અંતરિયાળ શાળાઓએ વિડિયો દ્વારા જિલ્લા કક્ષાએ પોતાનાં પ્રોજેક્ટ મોકલ્યાં હતાં. જેમાં મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા આયોજિત એનસીએસસી ઓનલાઇન કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે અમિષાબેન પવાર અને બેંગ્લોરના ડો.શિખર સારાભાઈએ 49 પ્રોજેક્ટ ને જોઈ 6 પ્રોજેક્ટની પસંદગી રાજ્ય કક્ષાએ પહોંચી એ માટે પસંદગી કરી છે. સમગ્ર આયોજન ગુજકોસ્ટ  ગુજરાતના કથર કોઠારી અને મંથન લોકવિજ્ઞાન કેન્દ્રનાં જિલ્લા કોર્ડિનેટર ભરત ડોડીયા અને કલ્પના રાજવાડી દ્વારા કરવામાં આવ્યું હતું.


રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા.

B B K NEWS

OWNER & EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.