‘બહુંત હુઈ મહગાંઈ કી માર’ / ‘અચ્છેદિન’ નાં રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી સાથે છેતરપીંડી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા

 ‘બહુંત હુઈ મહગાંઈ કી માર’ / ‘અચ્છેદિન’ નાં રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી સાથે છેતરપીંડી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા

‘બહુંત હુઈ મહગાંઈ કી માર’ ‘અચ્છેદિન’ નાં રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી સાથે છેતરપીંડી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા.

ભાજપ સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝ વધારાથી વધારા ઝીંકી મધ્યમ વર્ગની જીવન ધોરણ ખીરવાયું.

જીડીપી(GDP) વધારવામાં અને આર્થીક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ગેસ-પેટ્રોલ-ડીઝલ(GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે.

Advertisements

અમદાવાદઃ ‘બહુંત હુઈ મહગાંઈ કી માર’‘અચ્છેદિન’ નાં રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી સાથે છેતરપીંડી કરી સત્તા મેળવનાર ભાજપ સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકતાં દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન છે. પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વિક્રમજનક વધારો કરીને સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો અને બેફામ લૂંટ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશી એ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર દર મહિને પેટ્રોલ – ડીઝલ પરના વેટ દ્વારા ૧૨૦૦ કરોડ રૂપિયા નાગરીકો પાસે વસુલ કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં ૭૩ વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે. છેલ્લાં ૭ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. ૯.૨૦ પ્રતિ લિટર (મે-૨૦૧૪) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૨.૯૮ કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ ૨૩.૭૮ અથવા તો. ૨૫૮ ટકા નો વધારો કર્યો છે. જ્યારે ડિઝલ ઉપરની એકસાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. ૩.૪૬ (મે-૨૦૧૪)થી વધારીને પ્રતિ લિટર રૂ. ૩૧.૮૩ કરી દીધી છે. એટલે કે, પ્રતિ લિટર રૂ. ૨૮.૩૭ સાથે ૮૨૦ ટકા નો વધારો કર્યો છે. જ્યારે ફ્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૧૧૦ અમેરિકી ડોલરથી ઘટીને પ્રતિ બેરલ ૫૦ અમેરિકી ડોલર થયાં છે. 

Advertisement

વર્ષ ૨૦૨૧માં શરૂઆતના માત્ર ૪૧ દિવસોમાં જ પેટ્રોલમાં ૪.૧૪ અને ડીઝલમાં ૪.૧૬ રૂપિયાનો વધારો દેશના નાગરિકો ઉપર ઝીંકવામાં આવ્યો. પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણમાં દેશના ૧૩૦ કરોડ નાગરિકો પાસેથી ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધીમાં વિવિધ કરવેરા પેટે રૂા. ૨૦,૯૦,૭૭૭ કરોડ જેટલી માતબર રકમની લુંટ ચલાવવામાં આવી છે. 

આંતરરાષ્ટ્રિય બજારમાં વર્ષ ૨૦૧૩ માં ક્રુડનો ભાવ અમેરીકન ડોલર ૧૦૯ હતો ત્યારે દેશનાં નાગરિકોને રૂા. ૭૪/- માં મળતુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ષ ૨૦૨૧ માં ક્રુડનો ભાવ ૫૦/- અમેરીકન ડોલર જેટલો અતિ તળીયે ભાવ હોવાં છતાં ભારતનાં નાગરિકો પાસેથી રૂા. ૮૨ પ્રતિ લીટર  જેટલો વસૂલવામાં આવી રહી છે. જીડીપી(GDP) વધારવામાં અને આર્થીક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ગેસ-પેટ્રોલ-ડીઝલ(GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે.

B B K NEWS

Owner & Editor

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.