ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાનાધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાતા રાજપીપળાનો રંગ સેતુ બ્રિજ બંધ કરાયો
🔷ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાના ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાતા રાજપીપળાનો રંગ સેતુ બ્રિજ બંધ કરાયો
🔷ડભોઇ-સેગવા-રાજપીપળા રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો
રાજપીપળા: આજરોજ ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાના ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમથી ૫૦ કી.મી. દૂર નોંધાતા તેની અસર નર્મદા જિલ્લામા પણ જોવા મળી હતી. જેમા ધરતીકંપને કારણે રાજપીપળા નજીકનો પૉઇચા પુલ-રંગ સેતુ બ્રિજ બંધ કરાયો હતો.
ખાસ કરીને આ પૂલ નબળો હોવાથી તેને વધુ નુકશાન ન થાય તે માટે આ પુલને ધરતીકંપ થયા પછી પુલ બંધ કરવામા આવ્યો હતો અને ત્યાં પોલીસ ગોઠવી દેવાતાં વડોદરાથી આવતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા.
ડિસ્ટ્રિક્ટ આર એન્ડ બી ડિવિઝન વડોદરાના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવ્યા અનૂસાર વડોદરાની આ કચેરી હસ્તકનાં ડભોઇ - સેગવા - રાજપીપળા રોડ કિમી સેગવા તરફ, કેન્ટીલીવર 10 મીટર સોલિડ સ્લેબ અપસ્ટીમ ડાબી બાજુ કોનર ઉપર ૮ સેન્ટીમીટર સેટમેન્ટ થયેલ છે. જાન માલને વધારે નુકશાન ન થાય તે માટે આ રસ્તો ભારે વાહનવ્યવહાર માટે આજરોજ થી ભારે વાહન વ્યવહાર યોગ્ય ના થાય ત્યાં સુધી બંધ રાખેલ હોવાનુ જણાવ્યુ હતુ. જેને કારણેઆજે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
તસવીર–રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




It's reported 4.3 intensity earthquake on all channels & you mention 7.5. please correct as this can create unnecessary panic.
ReplyDelete