ભરુચ: ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દહેગામ યુવક મંડળના સહયોગથી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય અને કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલાં લેવા જોઈએ એ બાબતે જન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.
ભરુચ: ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દહેગામ યુવક મંડળના સહયોગથી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય અને કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલાં લેવા જોઈએ એ બાબતે જન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.
વેલ્ફેર હોસ્પિટલની 4 ટીમ દ્વારા ઘરે ઘરે જઈ તપાસ હાથ ધરી , દર્દીઓની તપાસ કરી તેમને જરૂરી દવાઓ આપવામાં આવી..સસ્પેકટેડ કોરોના દર્દીઓને વધુ સારવાર માટે વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યા.
દહેગામના અગ્રણી ઈલિયાસ પટેલ અને યુવક મંડળ દ્વારા કોરોના મુક્ત ગ્રામને બનાવવા માટે વેલ્ફેર હોસ્પિટલ સાથે સંયુક્ત કાર્યક્રમ કરી એક નવી પહેલ કરી ગામના દરેક વ્યક્તિનું સ્ક્રીનીંગ હાથ ધર્યું.
વેલ્ફેર હોસ્પિટલના પ્રમુખ શ્રી ખાલિદ ભાઈ ફાંસીવાલા તથા ટ્રસ્ટી મંડળ , સામાજિક આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી કોરોના મુક્ત ગામ માટે પહેલ કરી છે..આગામી દિવસોમાં દેરોલ ખાતે શનિવારના આજ પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જે જે ગામના યુવક મંડળ તથા ગ્રામજનો પોતાના ગામને કોરોના મુક્ત કરવા આ પ્રકારનો કાર્યક્રમ કરવા ઇચ્છતા હોય તે વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના પ્રમુખ શ્રી ડો ખાલિદ ફાંસીવાલાનો સંપર્ક કરી આયોજન હાથ ધરી શકે છે..
બાઈટ: ડો ખાલિદ ફાંસીવાલા
વેલ્ફેર હોસ્પિટલ
ભરૂચ
B B K NEWS
OWNER / EDITOR
#manishkansara
મનીષ કંસારા
6352918965
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



Comments
Post a Comment