રાજપારડીમાં ફક્ત વાંસ બાંધી સીલ કરાયેલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારથી આશ્ચર્ય !

રાજપારડીમાં ફક્ત વાંસ બાંધી સીલ કરાયેલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારથી આશ્ચર્ય !
રાજપારડીમાં ફક્ત વાંસ બાંધી સીલ કરાયેલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારથી આશ્ચર્ય !
Advertisements 
રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં કોરોનાના બે કેશ બહાર આવ્યા છે.આને લઇને સંબંધિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરીને સીલ કરવામાં અાવ્યો છે.ખરેખર કન્ટેન્ટમેન્ટ વિસ્તારને પતરા મારીને સીલ કરવાનો હોયછે,ત્યારે રાજપારડી નગરમાં ઉપરાછાપરી બે પોઝિટિવ કેશ બહાર અાવવા છતાં આ વિસ્તારને ફક્ત આડો વાંસ બાંધીને સીલ કરાતા આશ્ચર્ય ફેલાયુ છે!

 પતરા કેમ નથી લગાવાયા?!  ફક્ત વાંસના સહારે સીલ કરાયેલો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર કેટલો સલામત ગણાય?! તે વાતનો જવાબ તો તંત્રજ અાપી શકે! ફક્ત વાંસ બાંધીને સીલ કરાયેલ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી લોકો આવજાવ ના કરી શકે?! અા બાબતે નગરમાં પ્રશ્નાર્થ સર્જયો છે. ભરુચ જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,ત્યારે રાજપારડી નગરના ફક્ત વાંસના સહારે સીલ કરાયેલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં પતરા મરાશે ખરા?!...  
રિપોર્ટ: ગુલામહુશેન ખત્રી, રાજપારડી, જિ.ભરૂચ.
B B K NEWS
OWNER 
#manishkansara
Manish Kansara 
6352918965 
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments