મન કી બાત / મોદીએ કહ્યું-અમને મિત્રતા નિભાવતા અને આંખોમાં આંખો નાંખીને જવાબ દેતા આવડે છે, જવાનોની શહાદતને આખો દેશ યાદ રાખશે

મન કી બાત / મોદીએ કહ્યું-અમને મિત્રતા નિભાવતા અને આંખોમાં આંખો નાંખીને જવાબ દેતા આવડે છે, જવાનોની શહાદતને આખો દેશ યાદ રાખશે 
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધી રહ્યા છે. તેમણે શરૂઆતમાં કહ્યું કે, શું આ બધી આપદાઓના કારણે 2020ને ખરાબ માની લેવું જોઈએ?.એક વર્ષમાં એક મુશ્કેલી આવે કે હજાર એનાથી એ વર્ષ ખરાબ ન થઈ જાય. લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોવા વાળાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.લદ્દાખમાં જે 20 જવાન શહીદ થયા છે તેમને આખો દેશ નમન કરે છે. આ સાથીઓના પરિવારના જેમ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દુઃખ અનુભવી રહ્યા છે.આ વખતે મન કી બાત કાર્યક્રમ માટે તેમણે 14 જૂને ટ્વિટ કરીને જનતા પાસે સૂચનો માંગ્યા હતા.વર્ષ 2020ની અડધી સફર પુરી થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં મહામારીની ચર્ચા થઈ રહી છે. દરેક એક જ વિષય પર ચર્ચા કરી રહ્યું છે કે આ વર્ષ ઝડપથી જતું રહે, આ બિમારી ક્યારે ખતમ થશે. કોઈ કહી રહ્યું છે કે, 2020 શુભ નથી. ક્યારેક ક્યારેક તો વિચારું છું કે આવું કેમ થઈ રહ્યું છે.
Advertisements 
મોદીના ભાષણના મહત્વના મુદ્દા
પાણી બચાવો, નાના પ્રયાસનું મોટું પરિણામ આવશે
દેશના એક મોટા ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે. આ વખતે હવામાન વૈજ્ઞાનિક પણ ચોમાસા અંગે ઉત્સાહિત છે. સારો વરસાદ થશે તો પ્રકૃતિ પ્રફુલ્લિત થશે, ખેડૂતો પણ ખુશ થઈ જશે. આનાથી પ્રકૃતિ રીફિલિંગ કરે છે. આમાં આપણો થોડો પ્રયાસ પણ ઘણો મદદગાર હશે. કર્ણાટકના કામેગૌડાએ ઘણું અસાધારણ કામ કર્યું છે તે પોતાના જાનવર ચરાવે છે અને આસપાસ નાના નાના તળાવ બનાવવામાં લાગ્યા છે. અત્યાર સુધી તે 16 તળાવ પોતાની મહેનતથી ખોદી ચુક્યા છે. બની શકે છે કે આ તળાવ નાના હોય પણ તેમનો પ્રયાસ મોટો છે.
જૂના અનુભવોથી શીખવું પડશે
આઝાદી પહેલા આપણો દેશ ડિફેન્સ સેક્ટરમાં દુનિયાના ઘણા દેશોથી આગળ હતો. એ વખતે ઘણા દેશ આપણાથી પાછળ હતા જે આજે આગળ છે. આપણે આપણા જ જૂના અનુભવોનો લાભ ઉઠાવવો જોઈએ હતો પણ એ આપણે ન કરી શક્યા. આજે ભારત પ્રયાસ કરી રહ્યો છે. આત્મનિર્ભરતા તરફ એક ડગલું ભરી રહ્યો છે. કોઈ પણ વિઝન સૌના સહયોગ વિના શક્ય નહી બની શકે. લોકલ માટે વોકલ હશે તો એ પણ દેશસેવા જ હશે.
દેશભરમાંથી લોકડાઉનની કહાનીઓ સામે આવી રહી છે
અરુણાચલના સિયામ ગામમાં લોકોએ ગામની બહાર 14 અસ્થાયી ઝૂંપડી બનાવી દીધી અને નક્કી કર્યું કે, બહારથી આવતા લોકોએ 14 દિવસ આ જ ઝૂંપડીમાં રહેવું પડશે. તેમને જરૂરીયાત વાળી તમામ વસ્તુઓ આપવામાં આવશે. જેવી રીતે કપૂર આગમાં બળે તો પણ તેની સુવાસ નથી છોડતો એમ સારા લોકો પણ આપદામાં તેમના સારા ગુણ નથી છોડતા. આપણા શ્રમિક સાથીઓ પણ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આપણા પ્રવાસી શ્રમિકોની એવી કહાનીઓ સામે આવી રહી છે. આવા જ ઘણા શ્રમિક સાથીઓએ કલ્યાણી નદીનો ઉદ્દાર કરવાનું શરૂ કર્યું છે. એવા લાખો કિસ્સા અને કહાની છે જે આપણી સુધી નથી પહોંચી શકી. તમારી આસપાસ આવી ઘટના બને તો મને જણાવો. આવી ઘટના લોકોને પ્રેરણા આપશે.
બાળકોએ ઘરમાં દાદા-દાદીનું ઈન્ટરવ્યૂ કરવું જોઈએ
કોરોનાના કારણે ઘણા લોકોને માનસિક તણાવ ભરેલું જીવન પસાર કર્યું છે. સાથે જ ઘણા લોકોએ લખ્યું કે, કેવી રીતે તેમણે આ દરમિયાન નાની નાની ક્ષણો પરિવાર સાથે પસાર કરી. મારા નાના સાથીઓને પણ હું અપીલ કરવા માંગીશ કે, એક કામ કરો, માતા-પિતાને પુછીને મોબાઈલ ઉઠાવો અને દાદા-દાદી અને નાના-નાનીનું ઈન્ટરવ્યૂ કરો. પુછો કે, તેમની બાળપણમાં રહેણી કહેણી કેવી હતી, શું રમતા હતા, મામાના ઘરે જતા હતા, તહેવાર કેવી રીતે ઉજવતા હતા. તેમણે 40-50 વર્ષ પાછળના જીવનમાં જવાનો આનંદ આપશે અને તમને જણાવી દઈએ કે નવી વસ્તુ શીખવા મળશે અને પરિવાર માટે પણ સારો અમૂલ્યખજાનો અને વીડિયો આલ્બમ પણ બની જશે.
આપણે દરેક સંકટને પાર કર્યુ
સંકટ આવતા રહ્યા પણ તમામ મુશ્કેલીઓને દૂર કરીને નવી રચના કરી. નવા સાહિત્ય રચ્યા. આપણો દેશ આગળ વધતો રહ્યો. ભારતે સંકટને સફળતાની સીડીમાં પરિવર્તિત કર્યં છે. તમે પણ આ જ વિચારથી આગળ વધશો. તમે આ જ સંકલ્પ સાથે આગળ વધશો તો આ વર્ષ કીર્તિમાન સ્થાપિત કરશે. મને દેશની જનતા પર પુરેપુરો વિશ્વાસ છે.
હાલ થોડા દિવસ પહેલા દેશના પૂર્વ ભાગમાં અમ્ફાન નામનું તોફાન આવ્યું, તો પશ્વિમમાં સાઈક્લોન નિર્સગ આવ્યું, કેટલાક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઈ બહેનો તીડના હુમલાથી હેરાન થઈ રહ્યા છે, તો દેશના ઘણા ભાગોમાં નાના નાના ભૂંકપના આચંકા અટકવાનુ નામ નથી લઈ રહ્યા
ભારતે જે પ્રકારે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેને આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધારે મજબૂત કરી છે.દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે. આપણી સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની શક્તિને પણ જોઈ.આ જ વર્ષે દેશ નવા લક્ષ્ય પ્રાપ્ત કરશે, નવી ઊંચાઈ પર જશે, મને પુરે પુરો વિશ્વાસ છે, 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર મને વિશ્વાસ છે, આપ સૌની પર. આ જ દેશની મહાન પરંપરા છે.
ભારતને દુશ્મનને જવાબ આપતા પણ આવડે છે
લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોવા વાળાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.લદ્દાખમાં જે 20 જવાન શહીદ થયા છે તેમને આખો દેશ નમન કરે છે. આ સાથીઓના પરિવારના જેમ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દુઃખ અનુભવી રહ્યા છે.ભારત મિત્રતા નિભાવવાનું પણ જાણે છે અને આંખોમાં આખો મિલાવીને જોતા અને જવાબ આપતા પણ સારી રીતે જાણે છે.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.