આદેશ / હવે રાતના 9થી સવારના 5 વાગ્યા દરમિયાન ટ્રેન,બસ-ફ્લાઈટમાં મુસાફરી કરીને આવેલા વ્યક્તિને રોકાશે નહીં

આદેશ / હવે રાતના 9થી સવારના 5 વાગ્યા દરમિયાન ટ્રેન,બસ-ફ્લાઈટમાં મુસાફરી કરીને આવેલા વ્યક્તિને રોકાશે નહીં

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રાલયના 30-5-2020ના આદેશથી કેન્દ્રીય ગૃહ સચિવે 12 જૂને અનલોક-1 અંગે માર્ગ દર્શિકા જાહેર કરી હતી. જે અનુસાર રાતના 9થી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિગત અવરજવર પર પ્રતિબંધ છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું કે વાહનો અને વ્યક્તિઓને અટકાવવામાંઆવે છે.જેને પગલેરાજ્યના ગૃહ વિભાગે રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ગુડ્ઝ ટ્રકો, વાહનો કે પેસેન્જરની અવરજવર કરતીબસોને તેમજ બસ,ફ્લાઈટ કે ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને ન રોકવા આદેશ આપ્યો છે. તેમજ આ બાબતે જરૂરી કાર્યવાહી અને સૂચના આપવા વિનંતિ કરી છે.


ગૃહ વિભાગના આદેશની નકલનો સ્ક્રિન શોટ

આ પહેલા 12 જૂનના કેન્દ્રીય ગૃહ સચિવના પત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિઓની અવરજવરપર પ્રતિબંધ મુકવાનો હેતુ મોટા પ્રમાણમાં લોકો એકઠા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય તે છે. આ પ્રતિબંધ માલ વાહક વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસો તેમજ બસ, ફ્લાઈટ, ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને લાગુ પડતી નથી.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.